ભારતે પાકિસ્તાનને સોંપ્યું ડોઝિયર
Live TV
-
સીઆરપીએફ પર પુલવામામાં કરાયેલા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણીનો વિશિષ્ટ અહેવાલ તથા પાકિસ્તાનમાં હાજર પ્રતિબંધિત આતંકી સંગઠનોની શિબિરો વિશે એક સત્તાવાર દસ્તાવેજ (ડોઝિયર)ને ભારતે પાકિસ્તાનને સોંપ્યું છે.
ભારતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઇકમિશ્નરને બોલાવ્યા પાકિસ્તાનની અકારણ આક્રમકતા વિરુદ્ધ નોંધાવ્યો આકરો વિરોધ. ભારતીય વાયુસેનાના ઈજાગ્રસ્ત પાયલોટની સાથે કરાયેલા અમાનવીય વ્યવહારને ગણાવ્યો જિનેવા સંધિનો ભંગ. પાયલોટની યોગ્ય અને સુરક્ષિત વાપસીની વ્યક્ત કરી આશા. પુલવામાં હુમલામાં જૈશ-એ-મોહમ્મદની ભૂમિકાને લઈને ડોઝિયર સોપ્યું હતું.
