ભારત વધુ આંતરગ્રહીય મિશન શરૂ કરવા સક્ષમ છે: ISRO ચીફ, એસ. સોમનાથ
Live TV
-
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ભારત વધુ આંતરગ્રહીય મિશન શરૂ કરવા સક્ષમ છે અને અવકાશ એજન્સીનો ઉદ્દેશ અંતરિક્ષ ક્ષેત્રના વિસ્તરણ દ્વારા દેશની પ્રગતિ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના અવકાશ ક્ષેત્ર માટે દિર્ધદ્રષ્ટિ ધરાવે છે અને તેને લાગુ કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ સંપૂર્ણ તૈયાર છે. સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા આદિત્ય-L1 અંગે ઈસરો ચીફ સોમનાથે કહ્યું કે ઉપગ્રહ તૈયાર છે અને શ્રીહરિકોટા પહોંચી ગયો છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચિંગની આશા છે અને અંતિમ તારીખ બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
