ભારત-સાઉદી અરબ વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર
Live TV
-
આતંકવાદ સામેની જંગમાં સાઉદી ભારતની સાથે-પ્રિન્સ સલમાન
બે દિવસની ભારત યાત્રાએ આવેલા સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્રિપક્ષીય ચર્ચા બાદ પર્યટન અને આવાસ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં પાંચ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે ભારત અને સાઉદી અરબ વચ્ચે સૈકા જુના ઐતિહાસિક સામાજીક અને આર્થીક સંબધો છે. સાઉદી અરબ ભારત દેશનો મહત્વપુર્ણ સામરીક ભાગીદાર છે. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે ભારત અને સાઉદી અરબ રક્ષા ક્ષેત્રે પરસ્પરસહયોગને વધું ઘનિષ્ઠ બનાવવા ઈચ્છે છે. અને આર્થીક સંબધો વધુ સારા બનાવવા ઈચ્છે છે.તો સાઉદી અરબના યુવરાજે જણાવ્યુ હતુ કે ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબધોને વધું ગાઢ બનાવવા અને આગળ વધારવા બંને દેશો ઈચ્છુક છે.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રા મુદ્દે જાણકારી આપવા વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમા ભારત અને સાઉદી અરબ વચ્ચે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ભારત દેશમાં 100 બિલિયન અમેરીકી ડોલરના રોકાણ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.સાથે બંને દેશોએ પુલવામાં આતંકવાદી હુમલાને શબ્દોમાં વખોડ્યો હતો.આ સાથે જ સાયબર સુરક્ષા સમુદ્રી સુરક્ષા તેમજ પશ્ચિમ એશીયામાં શાતિ અને સ્થિરતા માટે આંતરીક ભાગીદારી વધારવા પર વાતચીત થઈ હતી
