ભારત-સિંગાપોર વચ્ચે 8 સમજૂતિ પર હસ્તાક્ષર
Live TV
-
ભારત અને સિંગાપોર વચ્ચે ગેરકાયદે દાણચોરી, સંરક્ષણ, વેપાર, સાયબર સિક્યોરિટી સહિતના વિવિધ ક્ષેત્રે 8 જેટલા સમજૂતિ પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માટે સિંગાપોરને એફડીઆઈનો મોટો સ્ત્રોત ગણાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિંગાપોર પ્રવાસના બીજા દિવસે સિંગાપોરના પ્રમુખ હલિમા યાકુબના સત્તાવાર નિવાસ સ્થાન અસ્તાના ખાતે પ્રધાનમંત્રીનું દબદબાભર્યું સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોર ના પ્રધાનમંત્રી લી સેઇંગ લોંગ વચ્ચે, પ્રતિનિધિમંડળ સ્તર ની ,બેઠક યોજાઈ હતી. ત્યારબાદ દેશ વચ્ચે ઉચ્ચ શિક્ષણ, ક્ષમતા વર્ધન અને સંરક્ષણ સહિત ના ક્ષેત્રે MOU થયા હતા. કરાર પર ,હસ્તાક્ષર બાદ બંને પ્રધાનમંત્રીઓ એ સંયુક્ત નિવેદન આપ્યું હતું.
