મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર 26 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવ્યું
Live TV
-
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બજેટસત્ર મુલતવી રાખવામા આવ્યું
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર 26 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. આ અગાઉ રાજ્યપાલ લાલજી ટંડને સંક્ષિપ્ત પરંપરાગત ભાષણમાં સભ્યોને સંસદીય પરંપરાઓ અને જવાબદારીઓ શાંતિપૂર્ણ રીતે નિભાવવા અપીલ કરી હતી. રાજ્યપાલ લાલજી ટંડને 1 મિનિટમાં પોતાનું અભિભાષણ પૂરું કરી ચાલ્યા ગયા. રાજ્યમાં કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારનું ભાગ્ય આજે રાજ્ય વિધાનસભામાં પાવર ટેસ્ટ દ્વારા નક્કી થવાનું હતું. કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાના કારણે 15 મહિનાની કમલનાથ સરકાર ભાંગી પડવાની આરે છે
