'મન કી બાત' કાર્યક્મ 30 જૂને ફરીથી શરૂ થશે
Live TV
-
આ મહિને યોજાનાર 'મન કી બાત' કાર્યક્રમ માટે પીએમ મોદીએ લોકો ની પાસેથી સૂચનો મંગાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ,ટ્વીટ કરી ને, જનતા પાસે થી ,આ મહિને યોજાનાર, તેમના ,'મન કી બાત' કાર્યક્રમ માટે ,લોકોની પાસેથી સૂચનો મંગાવ્યા છે. વડાપ્રધાન તરીકે પોતાના બીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈ આવ્યા પછી 'મન કી બાત'નું આ પહેલું સંસ્કરણ આગામી તા. 30 જૂનના રોજ પ્રસારિત થશે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું છે ,કે, 30 જૂન, રવિવાર 11 વાગે રેડિયોને ધન્યવાદ.. આપણે ફરી એક વખત મળીશું તેની ખુશી છે.. સકારાત્મકતા વહેચીશું અને 130 કરોડ ભારતીયોની સામૂહિક તાકાતનો જશ્ન મનાવીશું. મને વિશ્વાસ છે કે, આપની પાસે 'મન કી બાત'ની માટે ઘણું બધુ છે. તેને NaMo એપ ઓપન ફોરમ પર મૂકી શકો છો. આ મહિને 'મન કી બાત'ની માટે તમારો સંદેશ રેકોર્ડ કરવા માટે ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર ડાયલ કરો. તમે MyGov ઓપન ફોરમ પર પણ લખી શકો છો.. અને પોતાના ઇનપુટ્સને કલમ બદ્ધ કરી શકો છે. એક વધુ સારા સંવાદની આશા રાખું છું...
