મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા આપ્યું આમંત્રણ
Live TV
-
ભાજપની સરકાર બનાવવાની મનાઈ બાદ રાજ્યપાલે કર્યો નિર્ણય
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે.. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભરતસિંહ હોશિયારીએ વિધાનસભા ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી શિવસેનાને સરકાર બનાવવા માટે આમત્રંણ આપ્યું છે.. ભાજપની સરકાર બનાવવાની મનાઈ બાદ રાજ્યપાલે આ અંગેનો નિર્ણય લીધો છે.. ત્યારે રવિવારે રાજ્યપાલના આમંત્રણ બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી., ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે ભાજપની કોર કમિટીની બેઠક બાદ આ અંગેનો નિર્ણય લીધો.. ભાજપે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાની શિવસેનાની ઈચ્છા નથી.. અને તેથી જ ભાજપે આ અંગેનો નિર્ણય લીધો છે.. તો મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોઈપણ ભોગે મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે.
