મહારાષ્ટ્રના વર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં સંબોધન કર્યું
Live TV
-
આ રેલીમાં શ્રી હરિકોટા ખાતેથી થયેલા PSLV પ્રક્ષેપણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો પ્રત્યે આદરભાવ વધે તેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે, જ્યારે આ પ્રકારના સેટેલાઈટ લોન્ચ થશે, ત્યારે ત્યાં સામાન્ય નાગરિકોને બેસવાની સુવિધા ઉભી કરવામાં આવશે
મહારાષ્ટ્રના વર્ધામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે આજે આ રેલીમાં શ્રી હરિકોટા ખાતેથી થયેલા PSLV પ્રક્ષેપણનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો પ્રત્યે આદરભાવ વધે તેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે, જ્યારે આ પ્રકારના સેટેલાઈટ લોન્ચ થશે, ત્યારે ત્યાં સામાન્ય નાગરિકોને બેસવાની સુવિધા ઉભી કરવામાં આવશે અને તેઓ વૈજ્ઞાનિકો દ્વારા સેટેલાઈટ છોડવા જે કાર્યવાહી કરે છે તે નિહાળવાની વ્યવસ્થા કરવાની આજે શરૂઆત થઈ છે. આજના આ પ્રસંગે પ્રથમવાર અનેક લોકોએ ભારતના આ કિર્તીમાનનો સ્થાપીત થતો પોતાની નજરે લાહવો લીધો હતો.કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ હિન્દુઓને આતંકવાદી કહેવાનું પાપ કર્યું.કોંગ્રેસે આપણી 5 હજાર વર્ષ જૂની પરંપરાની વિરુદ્ધ શબ્દ ઉચ્ચાર્યા છે
