મહારાષ્ટ્ર મરાઠા આરક્ષણ વિધેયક વિધાનસભામાં પસાર
Live TV
-
મરાઠા સમુદાયને અનામત આપવા સાથે સંબંધિત ચર્ચાસ્પદ બિલને ગઈકાલે મહારાષ્ટ્ર મંડળમાં પાસ કરી દેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવા સાથે સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બંને ગૃહની સર્વસંમતિ મળી ચૂકી છે. સરકાર ટૂંક સમયમાં જ કાનૂની ઔપચારિકતા પૂર્ણ કરીને તેને અમલી કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર વિધાનમંડળમાં આ બિલ રજૂ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે મરાઠા અનામત માટે પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છીએ.
