મહારાષ્ટ્ર: રાજ્ય સરકારે પણ સાત સભ્યોની એક સમિતિ દ્વારા તેની તપાસ કરાવવાની જાહેરાત
Live TV
-
મહારાષ્ટ્રના નાસિકમાં મ્યુનિ. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતા કોવિડના 22 દર્દીઓના મૃત્યુ થયા હતા, પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ સામે FIR દાખલ કરી
મહારાષ્ટ્રમાં નાસિકની મ્યુનિસિપિલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થવાને કારણે કોવિડના 22 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ મામલે પોલીસે અજ્ઞાન વ્યક્તિઓ સામે FIR દાખલ કરી છે. નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ડો.ઝાકિર હુસૈન હોસ્પિટલમાં 21મી તારીખે બપોર બાદ અચાનક ઓક્સિજન પુરવઠો ખોરવાયો હતો. તે મામલે ભદ્રકાળી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે.
રાજ્યપાલ ભગતસિંહ ડોશિયારીએ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે પણ સાત સભ્યોની એક સમિતિ દ્વારા તેની તપાસ કરાવવાની જાહેરાત કરી છે.
