મહારાષ્ટ્ર - શિવાજીના 13મા વંશજ ઉદયનરાજે ભાજપમાં જોડાયા
Live TV
-
મહારાષ્ટ્રમાં એનસીપીને ઝટકો, અમિત શાહે આપ્યો પક્ષમાં આવકાર
મહારાષ્ટ્ર એનસીપીને લાગ્યો છે મોટો ઝટકો, શિવાજીના 13મા વંશજ અને પૂર્વ એનસીપી નેતા ઉદયનરાજે ભોંસલે શનિવારે ભાજપમાં સામેલ થયા હતા. આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, પક્ષના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, હું ભાજપના કરોડો કાર્યકરોની તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના જે પરિણામો આવ્યા હતા, તેનાથી પણ સારા પરિણામો વિધાનસભા ચૂંટણીમાં આવશે. આ પહેલા તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાજીનામું સોંપ્યું હતું. તેઓ મહારાષ્ટ્રના સતારાથી સાંસદ હતા.
