માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાત સહિત 27 જેટલા માછીમારો મુક્ત
Live TV
-
દર વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને મુક્ત કરવાની પ્રથા છે, તે મુજબ આ વર્ષે 27 જેટલા સૌરાષ્ટ્ર-ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
આ 27 કેદીઓમાંથી એક કેદી ગજાનંદ શર્મા નામના કેદી છે.જેઓ પાછલા 36 વર્ષથી જેલમાં બંધ હતા. જેઓ જયપુરના વતની છે. તેઓ ભૂલથી ભારત પાકિસ્તાનની સીમા ઓળંગી ગયા હતા. તેમના પરિવારને તેઓ જીવિત છે તેવા સમાચાર ત્યારે મળ્યા જયારે પાકિસ્તાન જેલમાંથી ગજાનંદ શર્માના કેટલાક ડોક્યુમેન્ટ જયપુરની ગ્રામીણ SP કચેરી મોકલવામાં આવ્યા. જયારે પોલીસ ગજાનંદના ઘરે ડોક્યુમેન્ટ લઈને પહોંચી ત્યારે તેમના પરિવારજનોની ખુશીનો પાર ના રહ્યો.ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિન ના પર્વ નિમિતે પાકિસ્તાને 29 કેદીઓને મુક્ત કર્યા જેમાંથી 26 તો માછીમાર હતા.
