મિઝોરમના બ્રુ જનજાતિના શરણાર્થીઓનુ સંકટ થયું સમાપ્ત
Live TV
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ ત્રિપુરા અને મિઝોરમના મુખ્ય પ્રધાનોની ઉપસ્થિતિમાં થઈ મહત્ત્વની સમજૂતી, બ્રુ શરણાર્થીઓને ત્રિપુરામાં વસાવાશે, 34 હજાર બ્રુ શરણાર્થીઓને થશે ફાયદો
કેન્દ્ર સરકારે બ્રૂ શરણાર્થીઓને લઈને એક મોટી જાહેરાત કરી છે. બ્રૂ શરણાર્થીઓને લઈને એક મોટી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતમાં આશરો લીધેલાં 30 હજાર બ્રૂ શરણાર્થીઓને ત્રિપુરામાં વસવાટ કરાવવા અંગે સમજૂતિ કરવામાં આવી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ત્રિપુરા અને મિઝોરમના મુખ્યમંત્રીઓએ આ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. તો સાથે જ બ્રુ સંગઠનના પ્રતિનિધિઓએ પણ હસ્તાક્ષર કર્યા છે. આ અંગે ગૃહમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 30 હજાર શરણાર્થીઓને ત્રિપુરામાં જ વસવાટ કરાવવામાં આવશે અને આ પરિવારોને 2 વર્ષ સુધીનું તમામ કરિણાયુ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે 600 કરોડનાં પેકેજની જાહેરાત પણ કરી છે.
