Skip to main content
Settings Settings for Dark

મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રામ મંદિર ઘટના અંગેની ખોટી માહિતી પ્રકાશિત ન કરે: કેન્દ્ર સરકાર

Live TV

X
  • કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ આપી છે કે તેઓ રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે, અમુક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.

    પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત પત્રકારત્વના આચરણના ધોરણો તરફ ધ્યાન દોરે છે. અખબારોએ કોઈપણ સમાચાર, ટિપ્પણી અથવા માહિતી રજૂ કરવામાં યોગ્ય સંયમ અને સાવચેતી રાખવી જોઈએ જે રાજ્ય અને સમાજના સર્વોચ્ચ હિતોને અથવા વ્યક્તિઓના અધિકારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.મંત્રાલયે કહ્યું છે કે, અખબારો, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો અને ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકોએ એવી કોઈપણ સામગ્રી પ્રકાશિત અથવા પ્રસારિત કરવાનું ટાળવું જોઈએ જે નકલી હોય અથવા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની સંભાવના હોય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply