મુંબઈઃ આ વર્ષે લાલ બાગ ચા રાજાની સવારી નહિ નીકળે
Live TV
-
લાલ બાગ ચા રાજાના મંડળે ગણેસોત્સવ ન યોજવાની જાહેરાત કરી, મંડળ આ વર્ષે રક્તદાન શિબિર યોજશે
કોરોનાની અસર ઓગષ્ટમાં યોજાનારા ગણેશ મહોત્સવ પર પણ પડી રહી છે. મુંબઈની શાન ગણાતા લાલ બાગ ચા રાજાની સવારી આ વર્ષે નહિ યોજાય. આજે લાલ બાગ ચા રાજાના મંડળે આ વર્ષે કોરોના મહામારીને જોતા ગણેશ મહોત્સવ ન યોજવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નાની મૂર્તિ રાખીને પરંપરા જાળવવાની જાહેરાત કરી હતી પરંતુ, હવે આ સમગ્ર આયોજન રદ્દ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 93 વર્ષમાં પ્રથમ વખત લાલ બાગ ચા રાજાનું આયોજન રદ્દ થયું છે. લાલ બાગ ચા રાજા આયોજન મંડળ આ વર્ષે દાદરમાં અને અંધેરીમાં રક્તદાન શિબિરનું આયોજન કરશે. આ સિવાય કોરોના સામે લડવા માટે અગાઉ સંક્રમિત થયેલ કોરોના દર્દીઓની સહાય લઈને પ્લાઝમા થેરાપીનું પણ આયોજન થશે.
