મુંબઈમાં ચાર્ટડ પ્લેન ક્રેશ, 5 લોકોના મોત, સુરેશ પ્રભુએ દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
મુંબઈમાં રહેણાંક વિસ્તાર ઘાટકોપરમા ચાર્ટડ પ્લેન ક્રેશ થતા 5 લોકોના મોત થયા,ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ઘટના અંગે વ્યકત દુઃખ વ્યક્ત કર્યું
મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં U.P.Z., એર સી 90 ચાર્ટડ વિમાન, તૂટી પડ્યું હતું. આ ર્દુઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ધટના અંગે નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ દુ:ખ વ્યકત કર્યુ છે. તેમજ તેમણે DGCAને આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. પાંચ મૃતકોમાં એક રાહદારીનો સમાવેશ થાય છે. આ વિમાન એક નિર્માણાધીન ઇમારત પર પડ્યું હતું. ઘટનાની જાણ થતા જ અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે, પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર પહેલા ધડાકો થયો હતો અને ત્યારબાદ ચાટર્ડ પ્લેન તૂટી પડ્યું હતું.
