મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની રિટને અમેરિકી કોર્ટે ફગાવી
Live TV
-
મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા, યુએસ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં
અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાની રિટને ફગાવી દીધી છે. અમેરિકી કોર્ટના નિર્ણયને કારણે રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી મળી શકે છે. જણાવી દઈએ કે, રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે.ભારતમાં 2008માં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની સંડોવણી મળી આવી છે. જે બાદ ભારતે રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાને વિનંતી કરી હતી. જો કે, તહવ્વુરએ આ આદેશ સામે અપીલ કરી છે.
અપીલમાં, તેણે જ્યાં સુધી તેની અપીલ અન્ય કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી તેના ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી છે.
