મુંબઈ - ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધી
Live TV
-
370 નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલા કરતા વધુ શાંતિ છે - અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈ ખાતે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે એક જાહેર સભાને સંબોધી હતી. સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે કોંગ્રેસ અને એનસીપી નાગરિકોને ગેર માર્ગે દોરવા જાત-જાતના નિવેદનો આપી રહ્યાં છે. આ ઉપરાંત અમિત શાહે 370 અને 35 એ મુદ્દે કહ્યું કે આ કલમ નાબુદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં પહેલા કરતા વધુ શાંતિ છે. આ મુદ્દે રાજનીતિ કરતી કોંગ્રસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉપરાંત અમિત શાહે મહારાષ્ટ્ર અને હરિયાણામાં એનડીએની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
