મુંબઈ તાજ બ્લાસ્ટની 10મી વરસી, CM ફડણવીસે શહિદોને કર્યાં યાદ
Live TV
-
મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાની આજે ,દશમી વરસી છે. લશ્કર-એ-તૈયબાના 10 ત્રાસવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળે હુમલા કરીને 150થી વધુ લોકોની હત્યા કરી હતી.
10 વર્ષ વીતી જવા છતાં લોકો આજે પણ તે હુમલાને ભૂલી શક્યા નથી. પોલીસ અધિકારીઓએ ,હુમલાખોરોનો સામનો કરતાં ,નવ આતંકવાદીઓને ,ઠાર માર્યા હતા. કસાબ નામે ,એકમાત્ર ત્રાસવાદી જીવતો ઝડપાતાં ,અદાલતે સજા ફરમાવતા ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હુમલામાં માર્યા ગયેલા લોકોને યાદ કરતાં શહિદ સુરક્ષા કર્મીઓને નમન કર્યું હતું. મુંબઈમાં રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શહિદ સ્મારકે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
