મૂડિઝ ઇન્વેસ્ટર્સ સર્વિસનું આર્થિક સર્વેક્ષણ
Live TV
-
ભારતના આર્થિક મોરચે સારા સમાચાર છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ,કહ્યું હતું ,કે તે આગામી એકથી દોઢ વર્ષ માટે ,ભારતની બૅન્કિંગ પ્રણાલિ સ્થિર રહેશે ,તેમ આશા રાખે છે. આ અનુમાન પર્યાવરણ, અસ્ક્યામતની ગુણવત્તા, મૂડી, ભંડોળ અને પ્રવાહિતા, નફાકારકતા, કુશળતા અને સરકારના સમર્થન ,એવાં છ પરિબળો પર આધારિત છે. સંસ્થાને આશા છે ,કે ભારતમાં જીડીપી, માર્ચ 2019ના રોજ પૂરા થતા વર્ષમાં, 7.2 ટકા રહેશે. બૅન્કોના બીજા ત્રિમાસિક કામકાજે બતાવ્યું, કે કૉર્પોરેટ તરફથી, નવી ન ચુકવાય તેવી સંભાવનાવાળી લૉનનું પ્રમાણ, ઘટ્યું છે. જોકે રિટેલ અને કૃષિ ,હજુ ચિંતાનો વિષય છે.
