મેં ભી ચોંકીદાર કેમ્પેઈનનો કર્યો ભાજપે પ્રારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક વિડીયો જાહેર કરીને "મૈ ભી ચોકીદાર ", અભિયાનની શરૂઆત કરી હતી..પ્રધાનમંત્રીએ આજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તમારો ચોકીદાર દ્રઢતાની સાથે રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે. ,પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર, ગંદકી,સામાજિક કુરીવાજ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે કડક મહેનત કરનાર ,દરેક ચોકીદાર છે. આજે દરેક ભારતવાસી કહે છે હું પણ ચોકીદાર છું. ત્યારે આ અભિયાનને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ સહિતના મંત્રીઓએ સમર્થન આપ્યું હતું.
