મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે એન્ટીગુઆને આવેદન સોંપ્યુ
Live TV
-
PNB કૌભાંડના આરોપી અને હીરા વેપારી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે રવિવારે એન્ટીગુઆને સત્તાવાર રીતે આવેદન સોંપ્યુ
PNB કૌભાંડના આરોપી અને હીરા વેપારી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે રવિવારે એન્ટીગુઆને સત્તાવાર રીતે આવેદન સોંપ્યુ છે. ચોકસી ગત મહિને જ એન્ટીગ્વા પહોંચ્યો હતો. તેને નવેમ્બરમાં આ દેશની નાગરિકતા મળી હતી. ભારતે એન્ટીગુઆ સરકાર સમક્ષ ચોકસી પર નજર રાખવાની અપીલ કરી હતી. આ અંગે એન્ટીગ્વાના વિદેશ મંત્રી ઈ.પી. ચેતગ્રીને કહ્યું હતું, કે ચોકસીના પ્રત્યાર્પણ માટેની કોઈપણ કાયદેસરની અરજીનું સન્માન કરાશે. મેહુલ ચોકસી પર આ કેરેબિયન દેશની નાગરિકતા મળવાના વિવાદ અંગે એન્ટિગ્વાના અધિકારીઓએ કહ્યું હતું કે ભારતનો ક્લીયરન્સ રિપોર્ટ બાદ જ તેને નાગરિકતા આપવામાં આવી હતી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, કે ચોકસીના પાસપોર્ટમાં પોલીસ ક્લીયરન્સ હતું, જે આધારે જ તેને ક્લીયરન્સ સર્ટિફિકેટ અપાયું હતું.
