મે અને જૂન મહિનામાં મફત અનાજ વિતરણની જાહેરાત
Live TV
-
કેન્દ્ર સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ નાગરિકોને મે અને જૂન માસમાં મફત અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને 5 કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર રૃપિયા 26 હજાર કરોડના ખર્ચે 80 કરોડ લાભાર્થીઓને રાશનની સહાય પૂરી પાડશે. દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગરીબ નાગરિકોને અનાજ મળી રહે તે હેતુથી આ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને આવકારતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રધાનમંત્રીના આ નિર્ણયને આવકારીને પ્રજાલક્ષી ગણાવ્યો હતો.
