મોદી સરકારના બીજા કાર્યકાળના છ મહિના પૂર્ણ
Live TV
-
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મોદી સરકારના બીજા કાર્યકાળના છ મહિના પૂર્ણ થવા બદલ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર સૌના વિકાસ માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. સાથે જ તેમણે વૈશ્વિક મંચ પર પ્રવર્તી રહેલ આર્થિક મંદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું કે આની થોડી અસર ભારત પર પણ પડી છે. જેને દૂર કરવા માટે સરકારે અનેક પગલાં ભર્યા છે.
