રક્ષામંત્રી રાજનાથ સિંહે રશિયાના રક્ષાઉદ્યોગને ભારત સાથે રક્ષા ઉપકરણોનું વિનિમાર્ણની કરવાની કરી અપીલ
Live TV
-
ઉદ્યોગ પ્રમુખોને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કરાયેલા મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓનો લાભ ઉઠાવવાનો કર્યો આગ્રહ
રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે મોસ્કોમાં રસિયાના ઉદ્યોગમંત્રી સાથે સંયુક્તરૂપથી ભારત-રસિયા રક્ષાઉદ્યોગ સહયોગ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું.. આ દરમિયાન તેમણે રસિયા દ્વારા રક્ષાઉપકરણો નિર્માતાના સીઈઓને સંબોધન પણ કર્યું હતું.. જેમાં રાજનાથ સિંહે રસિયાને ભારતની સાથે સુરક્ષા ક્ષેત્રે અને ઉપકરણોનું નિર્માણ કરવામાં ભાગીદારી કરવાનું આહ્વાન કર્યું હતું.. રાજનાથ સિંહે રક્ષાઉદ્યોગ પ્રમુખોને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કરાયેલા મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓનો લાભ ઉઠાવવાનો પણ આગ્રહ કર્યો હતો.
