રાજધાની દિલ્હી અને ઉત્તરભારતના તમામ રાજ્યો પ્રદૂષણથી ત્રસ્ત, દિવાળી બાદ પ્રદૂષણની માત્રા વધી
Live TV
-
ડોક્ટરનું કહેવું છે કે, પ્રદૂષણ અને ધુમ્મસભર્યું વાતાવરણ શ્વાસ, દમના પેશન્ટ અને બાળકો, વૃ્દ્ધો પર વધુ અસર કરે છે.
દેશની રાજધાની દિલ્હી અને ઉત્તરભારતના તમામ રાજ્યો હાલ પ્રદૂષણથી ત્રસ્ત છે. દિવાળી બાદ પ્રદૂષણની માત્રા વધી છે. ઉત્તરભારતના કેટલાક જિલ્લામાં એર પોલ્યુશનની સ્થિતિ ગંભીર સપાટી પર પહોંચી છે. ડોક્ટરનું કહેવું છે કે, પ્રદૂષણ અને ધુમ્મસભર્યું વાતાવરણ શ્વાસ, દમના પેશન્ટ અને બાળકો, વૃ્દ્ધો પર વધુ અસર કરે છે. ખાસ કરીને ઓક્ટોબરથી ફેબ્રૂઆરી સુધીમાં એર પોલ્યુશન વધી જાય છે. વઘતા જતાં પ્રદૂષણ પર લગામ લગાવવા માટે પરિવહન અધિકારીઓની બેઠક મળી હતી જેમાં આજે રાત્રે 11 વાગ્યાથી 11 નવે્મ્બર સુધી ભારી વાહનની દિલ્હીમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
