રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ કર્યો શોક વ્યક્ત
Live TV
-
રાજસ્થાનના જાલોર જિલ્લાના મહેશપુરા ગામમાં મોડી રાત્રે ભયાનક દુર્ઘટના બની છે. અહીં પેસેન્જર ભરેલી એક બસ 11 કેવી (11 હજાર વોલ્ટ)ના હાઇટેન્શન લાઇનની ઝપટમાં આવી જતા આ ઘટના બની.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજસ્થાનના જાલૌરમાં બસ અકસ્માત થયાના સમાચારથી ભારે દુ:ખ થયું છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું."
