રાજસ્થાન: જોધપુરમાં બીએસએફના 42 જવાનોએ કોરોનાને આપી મ્હાત
Live TV
-
કોરોના વાયરસથી સંક્રમિત બીએસએફના 42 જવાનો શુક્રવારે સ્વસ્થ થયા બાદ એમ્સ જોધપુરથી રજા આપવામાં આવી હતી. એઈમ્સ જોધપુરના ડિરેક્ટર ડૉ. સંજીવ મિશ્રાના જણાવ્યા અનુસાર, કોરોના રોગથી પીડિત બીએસએફના 42 જવાનોની યોગ્ય સારવાર બાદ એઈમ્સ જોધપુરમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને લક્ષણ રહિત હતા.
આ દર્દીઓને કોરોનાની સકારાત્મક તપાસ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ સાવચેતી રાખીને તેમની સારવાર કરવામાં આવી હતી. કોરોના રોગચાળાને નાથવા માટે, એઈમ્સમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી હતી. દર્દીઓના રહેવાની અને તેમની ખાણી-પીણીની યોગ્ય કાળજી લેવામાં આવી છે.
