રાજસ્થાન-તેલંગાણામાં ચૂંટણીપ્રચાર પૂરજોશમાં
Live TV
-
રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજસ્થાનમાં રેલીઓને સંબોધી રહ્યા છે. નાગોરમાં રેલીને સંબોધતાં તેમણે દાવો કર્યો હતો કે, રાજસ્થાનમાં ભાજપ ફરી સત્તા પર આવશે. તેમણે રેલીને સંબોધતા રોબર્ટ વાડ્રા પર પ્રહારો કર્યા હતા. ભાજપના યુવા નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ રેલીઓને સંબોધી હતી. કોંગ્રેસના નેતા અશોક ગેહલોત પણ ભરતપુરમાં રેલી સંબોધી હતી. સચિન પાયલોટે નસિરાબાદમાં રેલી સંબોધી હતી. કોંગ્રેસ પક્ષ પણ દાવો કરી રહ્યો છે કે તેની સરકાર બનશે. તેલંગણામાં પણ કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહે વારાંગલમાં રેલીને સંબોધી હતી. રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે આસિફાબાદ ખાતે રેલીને સંબોધી હતી. બંને રાજ્યોમાં સાત ડિસેમ્બરે મતદાન થશે અને 11 ડિસેમ્બર મતગણતરી હાથ ધરાશે.
