રાજ્યની 6 આયુર્વેદિક કોલેજની 380 બેઠકો પર પ્રવેશ માટે રિન્યુઅલને મંજુરી
Live TV
-
રાજ્યની 6 આયુર્વેદિક કોલેજની 380 બેઠકો પર પ્રવેશ માટે રિન્યુઅલને મંજુરી
રાજ્યની 6 આયુર્વેદિક કોલેજની 380 બેઠકો પર પ્રવેશ માટે રિન્યુઅલને મંજુરી આપવામાં આવી છે. આ અંગે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે આયુષ નિયામકની કચેરી હેઠળ કાર્યરત 7 આયુર્વેદ કોલેજો પૈકી 6 કોલેજો માટે કેન્દ્ર સરકારના સીસીઆઇએન દ્વારા આ શૈક્ષણિકવર્ષ માટે મંજુરી મળી છે. અને સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદની 60 બેઠકો મંજુરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે, જે સત્વરે મંજુર થઇ જશે.
