રાજ્યપાલ સંમેલન સત્રના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સંબોધન કરશે
Live TV
-
દિલ્હીમાં ચાલી રહેલા રાજ્યપાલ સંમેલન સત્રના સમાપન કાર્યક્રમમાં ,આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ તેમજ પ્રધાનમંત્રી સંબોધન કરશે
દિલ્હીમાં ચાલી રહેલા રાજ્યપાલ સંમેલન સત્રના સમાપન કાર્યક્રમમાં ,આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ તેમજ પ્રધાનમંત્રી સંબોધન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્યપાલ વિકાસ યોજનાથી વંચિત લોકોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે છે. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલ સંમેલનને સંબોધિત કરતા ,રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે રાજ્યપાલ રાજ્ય સરકારના સંરક્ષક અને પથદર્શક હોય છે. રાષ્ટ્રપતિએ રાજ્યપાલ પાસેથી મહાત્મા ગાંઘીની 150મી જન્મજંયતિ મનાવવા અંગે કાર્યક્રમ માટે પણ અભિપ્રાય માગ્યા હતા. બે દિવસીય રાજયપાલ સંમેલનને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યપાલ સરકારની વિકાસલક્ષી યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
