રાજ્યસભામાં રજૂ થયું નાગરિક્તા સંશોધન બિલ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નાગરીકતા સંશોધન ખરડો રજૂ કર્યો. જેના પર હાલ ચર્ચા ચાલુ છે.
આ પહેલા આ ખરડો લોકસભામાં બહુમતિ સાથે પસાર થઈ ચૂક્યો છે. જો આ બીલ રાજ્યસભામાંથી પસાર થઈ જશે તો તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ બીલ કાયદો બની જતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવેલ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ સમુદાય ભારતમાં નાગરીકતા માટે આવેદનપાત્ર ગણાશે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યુ કે વર્ષોથી પિડિત પાડોશી દેશના અલ્પસંખ્યક સમુદાયને મુક્તિ મળી જશે અને તે સન્માન સાથે જીવી શકશે.
કોંગ્રેસે આ બીલનો વિરોધ કર્યો છે અને કહ્યુ કે આ બીલને પહેલા સંસદીય સમિતિને મોકલી આગામી સત્રમાં રજૂ કર્યુ હોત તો વધારો સારુ રહેત. જ્યારે આ બીલ મામલે શીવસેનાનું વલણ સ્પષ્ટ નથી.
