રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાના જવાબમાં વિપક્ષ પર વરસ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી
Live TV
-
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિપક્ષ પ્રત્યે ફરીથી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં વિપક્ષને કહ્યું હતું કે હાર હોય કે જીત અહંકાર કરવો યોગ્ય નથી. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી હતી. તેમજ જનાદેશ પર સવાલ ઉઠાવનારાએ હારનું ઠીકરું ઇવીએમ પર ફોડ્યું છે તેમ કહીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ એમ ઠસાવવા માગે છે કે કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો. પરંતુ મતદારોએ પોતાની સમજ શક્તિ દ્વારા અમારી સરકારને ફરી એક વાર સેવાની તક આપી છે.
