રાજ્ય સરકાર શ્રમિકો રસ્તા પર કે ટ્રેક પર ચાલીને ન જાય તેની ખાતરી કરેઃ ગૃહમંત્રાલય
Live TV
-
કેબિનેટ સચિવે રાજ્યોને વધુમાં વધુ શ્રમિક ટ્રેન ચલાવવા માટે સહયોગ આપવા આગ્રહ કર્યો કે જેથી વધુ ઝડપથી શ્રમિકોને તેમના વતન પહોંચાડી શકાય
લૉકડાઉન વચ્ચે વિવિધ રાજ્યમાં ફસાયેલા શ્રમિકોને પોતોના વતન પહોંચાડવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. આ બધા વચ્ચે સોમવારે ગૃહ સચિવે રાજ્યની સરકારોને પ્રવાસી શ્રમિકોના મુદ્દે પત્ર લખ્યો છે અને કહ્યું કે, રાજ્ય સરકાર ખાતરી કરે કે કોઈ પણ શ્રમિક રસ્તા પર કે રેલવે ટ્રેક પર ન ચાલે. કેબિનેટ સચિવે આદેશ કરતા કહ્યું છે કે, રાજ્યોને વધુમાં વધુ શ્રમિક ટ્રેન ચલાવવા માટે સહયોગ આપવા આગ્રહ કર્યો કે જેથી વધુ ઝડપથી શ્રમિકોને તેમના વતન પહોંચાડી શકાય,. જો શ્રમિકો રસ્તા પર ચાલતા જતાં દેખાય તો તેઓને સમજાવવામાં આવે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે, આ ઉપરાંત રાજ્યના આરોગ્ય કર્મચારીઓની અવરજવર પર ધ્યાન અપાય અને પ્રાઈવેટ ક્લિનક અને નર્સિગહોમની સાથે મેડિકલ લેબને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવે તેવું પણ કહેવાયું છે.
