રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત કરાયા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુયલ માધ્યમથી વર્ષ 2018-19 રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારને એનાયત કર્યા હતા. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રિય યુવા કાર્યક્રમ એવાં રમત મંત્રી કિરણ રિજિજુ પણ જોડાયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુયલ માધ્યમથી વર્ષ 2018-19 રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારને એનાયત કર્યા હતા. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રિય યુવા કાર્યક્રમ એવાં રમત મંત્રી કિરણ રિજિજુ પણ જોડાયા હતા. વર્ષ 2018-19 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર ત્રણ વિવિધ શ્રેણીમાં 42 વિજેતાને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં વિશ્વ વિદ્યાલય, ક્લસ્ટર પરિષદ એનએનએસ એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને એનએનએસ સ્વયંસેવક નો સમાવેશ થાય છે. યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા એનએનએસને દેશમાં પ્રોત્સાહિત આપવાના ઉદેશથી સ્વૈચ્છીક સામુદાયિક સેવામાં ઉત્કૃષ્ટ પ્રદાનની ઓળખ આપવા અને તેને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે.
