રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અલંકરણ સમારોહમાં જવાનોને સન્માનિત કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત રક્ષા અલંકરણ સમારોહમાં વિશિષ્ટ બહાદુરી, અદ્ભૂત સાહસ અને કર્તવ્ય પ્રદર્શિત કરવા માટે સૈન્ય અધિકારી અને જવાનોને સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત રક્ષા અલંકરણ સમારોહમાં વિશિષ્ટ બહાદુરી, અદ્ભૂત સાહસ અને કર્તવ્ય પ્રદર્શિત કરવા માટે સૈન્ય અધિકારી અને જવાનોને સન્માનિત કરાયા હતા. જેમાં સીઆરપીએફના કમાન્ડેન્ટ પ્રમોદ કુમાર અને પ્રથમ ગોરખા રાઇફલ્સના હવલદાર ગિરિશ ગુરુંગને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન માટે મરણોપરાંત કિર્તી ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. મેજર ગોસાવી કુનાલ મુનાગીર અને લાંસ નાયક રઘુબીર સિંહને પણ સર્વોચ્ચ બલિદાન માટે મરણોપરાંત શોર્ય ચંદ્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. મેજર પ્રીતમસિંહ કુનવારને ઉચ્ચ કોટીના શોર્ય માટે કિર્તી ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું.
