રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના સાહસિક-વીર જવાનોને કર્યાં સન્માનિત
Live TV
-
દેશની સુરક્ષા માટે દિવસ રાત પોતાનો જીવ જોખમમાં મૂકનારા જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કર્યા હતા.
આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સન્માન સમારોહમાં અનેક વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
શહિદ જવાનોની બહાદુરીના સન્માન મેડલ તેમની પત્નીઓને આપવામાં આવ્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીરના 14 વર્ષના ઈરફાન રમઝાન શેખને પણ સન્માનિત કરાયો હતો.
