રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પતંજલિ વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારંભમાં કર્યું સંબોધન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ઉત્તરાખંડની મુલાકાતે આજે હરિદ્વાર પહોંચ્યા છે. રાષ્ટ્રપતિએ આજે હરિદ્વારની પતંજલિ યુનિવર્સિટીના પહેલા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઋષિકેશના પરમાર્થ નિકેતન ઘાટ ખાતે યોજાતી ગંગાજીની આરતીમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે દિલ્હી પાછા ફરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમ અને હરિદ્વારના દેવ સંસ્કૃતી વિશ્વવિદ્યાલયની મુલાકાત લેશે.
