રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી પંજાબ અને હિમાચલ પ્રદેશના પાંચ દિવસીય પ્રવાસે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી પંજાબ અને હિમાચલ પ્રદેશના પાંચ દિવસના પ્રવાસે ગયા છે. શિમલામાં રાજ્યપાલ આચાર્ય દેવબ્રત દ્વારા તેમના સન્માનમાં આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લેશે. પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોલનના નવ દિક્ષાંત ડોક્ટર વાઈ.એસ.પરમાર બાગવાની અને વાતિકી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે.રાષ્ટ્રપતિ કોવિંદ મોહાલીમાં ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાનના સાતમાં દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિના રૂપે ભાગ લીધો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ આઇઆઇએમ અને વિજ્ઞાન સંસ્થાઓના વિદ્યાર્થીઓને દેશ સમક્ષ પડેલી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવા આહવાન કર્યું હતું. સંસ્થાનમાં 153 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિએ ડિગ્રીઓ આપી હતી.
