રાષ્ટ્રીય જનતા દળે 2019 લોકસભા ચૂંટણી માટે આજે જાહેર કર્યું ઘોષણાપત્ર
Live TV
-
બિહારમાં મહાગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઘોષણા પત્ર રજૂ કરવામાં આવ્યું.
જેમાં અધ્યક્ષ તેજસ્વી યાદવ દ્વારા અનેક વિધિ મુદ્દાઓ ઉપર જાહેરાતો કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, તેજસ્વી યાદવ દ્વારા કોંગ્રેસની ન્યાય યોજનાનું પણ સમર્થન કર્યું હતું. સત્તામાં ભાગીદારી મળવા પર રાજદ ગરીબો, આદિવાસી અને અન્ય પછાત વર્ગોના કલ્યાણ અર્થે કામને અગ્રિમતા આપશે અને પક્ષ દ્વારા કરવામાં આવેલા બધા વચનો પાળવામાં આવશે. દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તરપ્રદેશમાં વિવિધ સભાઓ અને રેલીઓને સંબોધશે.
