રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાનની શરૂઆત કરતા પીએમ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર મધ્યપ્રદેશના મંડલા જિલ્લાથી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાનની શરૂઆત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર મધ્યપ્રદેશના મંડલા જિલ્લાથી રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરાજ અભિયાનની શરૂઆત કરશે. આ યોજનામાં ઇ-પંચાયત મિશન મોડ પ્રોજેક્ટ પ્રમાણે, ઇ-ગર્વનન્સ માટે પ્રશિક્ષણ, બુનિયાદી સુવિધા સ્તર અને અન્ય પ્રચારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશભરમાં પંચાયતી રાજના પ્રતિનિધિઓને સન્માનિત કરશે. આ અવસરે પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં જનજાતિય લોકો સાથે વિકાસ માટે એક રોડમેપ પ્રસ્તુત કરશે. સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને વિદ્યુતિકરણની દિશામાં સરકારના સંકલ્પ અનુરૂપ કામ કરનાર ગામ સરપંચનું પ્રધાનમંત્રી સન્માન કરશે. આ પ્રસંગે સર્વશ્રેષ્ઠ પંચાયત યોજના અંતર્ગત રાષ્ટ્રીય ઇ-પંચાયત એવોર્ડ અને ગ્રામ પંચાયત એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.
