રાષ્ટ્રીય લોક દળનાં સ્થાપક અને પ્રમુખ ચૌધરી અજીતસિંહનું નિધન
Live TV
-
રાષ્ટ્રીય લોક દળનાં સ્થાપક અને પ્રમુખ ચૌધરી અજીતસિંહનું આજે નિધન થયુ છે.અજીતસિંહ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનાં પૂત્ર હતા.અજીતસિંહ 19 અપ્રિલનાં રોજ કોવિડ પોઝીટીવ દર્દી તરીકે ગુરૂગ્રામ હોસ્પિટલમાં દાખલ થયા હતા.આજે સવારે નાદુરસ્ત તબિયતને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા.વર્ષ 1986માં તેઓ રાજ્યસભાનાં સભ્ય બન્યા હતા.વર્ષ 1989માં તેઓ બાગપતથી લોકસભાનાં સાંસદ પણ બન્યા.વર્ષ 1989 -90 દરમિયાન વી.પી.સિંગનાં કેબિનેટમાં તેઓએ ઉદ્યોગ મંત્રાલય સંભાળ્યુ હતુ.વર્ષ 1991માં પી,વી.નરસિંહ રાવની સરકારમાં તેઓ કેન્દ્રીય ખાદ્ય મંત્રી પણ રહ્યા.વર્ષ 2001 થી વર્ષ 2003 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓએ કેન્દ્રીય કૃષિમંત્રી તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો.આઈઆઈટી ખડગપૂરથી તેમણે બી.ટેકનો અભ્યાસ કર્યો હતો.
