રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા
Live TV
-
લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો 30 લાખ સરકારી નોકરી આપશે તેમજ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરાવશે.
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ધનપતિઓના દેવા માફ કર્યા તેટલા નાણામાં તો 24 વર્ષ સુધી મનરેગા યોજના ચલાવીને શ્રમિકોને મદદરૂપ થઈ શકાય. રાહુલ ગાંધીએ જોધપુર અગાઉ રાજસ્થાનના બિકાનેરમાં પણ વિશાળ જનસભા સંબોધી હતી. તો બસપા સુપ્રીમો માયાવતીએ નાગપુરમાં કહ્યું, જાતિવાદી માનસિકતાને કારણે જ કોંગ્રેસને નુકસાન થયું