રેમડેસિવિર ઇન્જેક્શનના નિકાસ પર કેન્દ્ર સરકારે મુક્યો પ્રતિબંધ
Live TV
-
રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર જણાતા કેન્દ્ર સરકારે નિકાસ પર મુક્યો પ્રતિબંધ તેમજ ઇન્જેક્શનનું ઉત્પાદન વધારવા માટે પણ સૂચના આપી
ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતી અતિ ગભીર બની છે ત્યારે આવા સમયે કોરોનાની સારવાર ઝડપી બને તે અત્યંત જરુરી છે. આ માટે રેમડેસિવિર ઈન્જેકશન સૌથી અસરકારક દવા ગણવામાં આવી છે, જે હાલ સમગ્ર દેશમાં દર્દીઓને આપવામાં આવી રહી છે. હાલ જે રેમડેસિવિરનો જથ્થો છે તે પુરતો ન હોવાથી કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓને ઉત્પાદન વધારવા માટે સૂચના આપી છે. તેમજ આ રેમડેસિવિર ઈન્જેકશનના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
