રોહિત શેખરની હત્યા મામલે પોલીસે કર્યો ખુલાસો
Live TV
-
રોહિતની પત્ની અપૂર્વાએ કરી હતી હત્યા
કોંગ્રેસના દિગ્ગજ નેતા એન.ડી.તિવારી ના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાનો કેસ પોલીસે ઉકેલી લીધો છે. આ હત્યાકાંડમાં અંતે ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે. આ ધરપકડ અપૂર્વા વિરૂદ્ધ પુરતાં પુરાવાઓ મળ્યાં બાદ કરાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રોહિતની પત્ની અપૂર્વા સતત નિવેદન બદલતી હતી. અપૂર્વાની પૂછપરછ કરાતા તેમણે ત્રણ વખત નિવેદન બદલ્યા હતા. તેના કારણે પોલીસની શંકા વધી ગઈ હતી. મહત્વનું છે કે રોહિત તિવારીનું 16મી એપ્રિલના રોજ નિધન થયું હતું. જે બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રોહિતની હત્યા કરવામાં આવી છે. આ સાથે દિલ્હી કોર્ટે રોહિત શેખરની પત્ની અપૂર્વા શુક્લાના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
