લખનઉમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2020 ની શાનદાર શરૂઆત
Live TV
-
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે 23મા રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2020 નો આજથી ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો પ્રારંભ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પાંચ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન 1995 થી દેશના યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા અને વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. યુવા બાબતો અને રમત મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકાર આ વર્ષે ઉત્સવનું સંયુક્ત રીતે આયોજન કર્યું હતું.
