લખનઉમાં 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ડિફેન્સ એક્સ્પો 2020 યોજાશે, પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન
Live TV
-
લખનઉમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ( @rajnathsingh ) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ( @myogiadityanath ) સંરક્ષણ એક્સ્પો -2020 સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહેએ ડિફેન્સ એક્સ્પો 2020 વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સંરક્ષણ એક્સ્પો 2020 રાષ્ટ્રીય નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનો લખનઉ થવા જઈ રહ્યો છે. જે રોકાણકારો આ પ્રોગ્રામમાં આવી રહ્યા છે, તેઓ તે સ્થાનો જોશે જ્યાં રોકાણ કરવું છે. અત્યાર સુધી 925 એક્ઝિક્યુટર નોંધાયા છે જેમાં 150 વિદેશી અને બાકીના ભારતીય એક્ઝિક્યુટર છે. વધુમાં રાજનાથસિંહેએ પાછલાં એક્ષ્પોની વાત કરતા કહ્યું હતું કે ચેન્નઈમાં યોજાયેલ ડિફેન્સ એક્ષ્પો 80 એકરમાં હતો જયારે #DefExpo2020 લખનઉમાં 200 એકરમાં થશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બેઠક બાદ જણાવ્યું હતું કે, 5 થી 9 ફેબ્રુઆરી સુધી ડિફેન્સ એક્ષ્પોનું આયોજન થવા જઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં આ પ્રકારનો અવસર પ્રથમ વખત યોજાઈ રહ્યો છે જેનું ભવ્ય આયોજન કરવામાં આવશે। #DefExpo2020માં દરેકને સંરક્ષણ ક્ષેત્રની અત્યાધુનિક ટેકનોલોજી અને શસ્ત્રોનું નિરીક્ષણ કરવાની તક આપશે અને સંરક્ષણ કોરિડોરમાં પણ રોકાણ કરવાની તક પણ મળશે।
@myogiadityanath @DefExpoIndia #DefExpoLucknow #DefExpo2020
