લદાખના સાંસદે પોતાના સંબોધનથી બધાને પ્રભાવિત કર્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પરની ચર્ચામાં શાનદાર સંબોધન
લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનગર્ઠન વિધેયક પરની ચર્ચામાં લદાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યારે પોતાના સંબોધનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લદાખની જનતાએ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માંગણી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે માંગણી સંતોષી છે. તેમણે જણાવ્યું હતું કે કલમ 370 નો દુરૂપયોગ કરીને લદાખ સાથે અન્યાય થયો છે. લદાખ ભારતનો અભિન્ન ભાગ હોવાથી જ લદાખમાં તિરંગો લહેરાય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જામયાંગના સંબોધનની પ્રશંસા કરી હતી.
