લૉકડાઉનના કારણે 14થી 19 લાખ કેસ રોકવામાં સફળતા મળી: ડૉ. હર્ષવર્ધન
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે લોકસભામાં કોરોના મહામારી અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન મોદી સરકાર દ્વારા લૉકડાઉનના કારણે 14થી 19 લાખ કેસ રોકવામાં સફળતા મળી છે...વધુમાં કહ્યું કે, ભારત માટે જમા પાસું એ છે કે કોરોના મૃત્યુદર ખૂબ જ ઓછો છે. અને સતત તેમાં ઘટાડો થઇ રહ્યા છે...કોરોનાની સ્થિતિ અને તેનો સામનો કરવા સરકારે લીધેલા પગલાંની જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, આંધ્ર અને તામિલનાડુમાં કોરોનાના સૌથી વધુ કેસ છે. તેમણે કહ્યું હતું કે પીપીઈ કીટ ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બની ચૂક્યું છે. અને નિકાસ કરવા સક્ષમ છે.
