લોકસભાના પૂર્વ સ્પિકર સોમનાથ ચેટર્જીનું 89 વર્ષની જૈફ વયે નિધન
Live TV
-
છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા
લોકસભાના પૂર્વ સ્પિકર સોમનાથ ચેટર્જીનું 89 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. સોમવારે સવારે 8.15 કલાકે કોલકાતાની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 14મી લોકસભાના સ્પિકર હતા. તેઓ 10 વખત લોકસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા નિર્મલ ચંદ્ર અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સંસ્થાપક પણ હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમ સાથે રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. 1971માં તે પ્રથમ વખત સાંસદ બન્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સોમનાથ ચેટર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
